Anant Ambani - Radhika Merchantના લગ્નની કંકોત્રીનો વીડિયો આવ્યો સામે, કંકોત્રી એટલી અદ્ભૂત છે જે જોઈ તમે પણ કહેશો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-27 16:15:50

લગ્ન પ્રસંગ માટે આવતા ઈન્વિટેશન કાર્ડ તો તમે અનેક જોયા હશે.. પરંતુ અમુક ઈન્વિટેશન કાર્ડ એટલા ભવ્ય હોય કે હંમેશા માટે યાદ રહી જાય.. અને એમાં પણ જો પ્રસંગ અંબાણી પરિવારનો હોય તો પછી કહેવું જ શું? ઈન્વિટેશન કાર્ડથી લઈને પ્રિ-વેડિંગ અને બધા ફંક્શન કલ્પના બહારના જ હોય 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે.

કાર્ડ આપવાની શરૂઆત થઈ ગઈ છે..! 

અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય તે ખૂબ ધામધૂમથી થતો હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ  હોય કે પછી લગ્નની કંકોત્રી હોય તેમની બધી જ વસ્તુ જ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંબાણી પરિવારમાં થોડા દિવસો બાદ શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્ડ અને આમંત્રણ આપવાની શરૂઆત કરી દીધી છે. 




લગ્ન પહેલા બે પ્રિવેડિંગ યોજાયા...!

જે લગ્નનું પ્રીવેડિંગ આટલું ભવ્ય હતું એ લગ્ન કેટલા ભવ્ય હશે એ વિચારો.. આ ભવ્ય ઉજવણીને લઈને ઘણી હાઈપ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે અનંત અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફેસ્ટિવલ કર્યા હતા. અને હવે  પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે અને એ કાર્ડ પણ ખૂબ ખાસ છે.. 


આમંત્રણ પત્રિકાની અંદર મૂકવામાં આવી ભગવાનની પ્રતિમા

કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાના આકર્ષણનું કેન્દ્ર પણ છે. કારણ કે લગ્નનું આમંત્રણ એક ખાસ બોક્સમાં છે તેને ખોલતાં જ ભગવાનના દર્શન થાય છે. અંદર ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. જે ચાંદી અને સોનાની બનેલી છે તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે, જે ભવ્ય ગેટ જેવું બનાવ્યું છે. જે ખોલીએ એટલે , ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગારેલી ભવ્ય પ્રતિમ દેખાય છે.. કોઈ પણ માણસ આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ જુએ તો એની આંખો અંજાઈ જાય. 



12 જુલાઈએ યોજાવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અત્યાર સુધીમાં આ કંકોતરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તથા બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને અજય દેવગણને પહોંચી ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમના લગ્નના સાક્ષી બનશે. પ્રી-વેડિંગ ફંક્શનની જેમ લગ્નની વિધિ પણ ભવ્ય હશે. ત્યારે તમારૂં આ કાર્ડને લઈ શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે