Anant Ambani Radhika Merchantના લગ્નના ફંક્શન શરૂ, ગઈકાલે યોજાઈ મામેરા વિધી


  • Published By :
  • Published Date : 2024-07-04 15:11:48

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ  કરવામાં આવી. જેની ખૂબ સુંદર તસવીરો સામે આવી છે. એટલું જ નહીં અંબાણી પરિવારના સભ્યો એકદમ સુંદર તૈયાર થયા હતા. એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. આ ફંક્શન પણ પ્રીવેડિંગ ફંક્શનની જેમ ભવ્ય અને યુનિક રાખવામાં આવ્યું હતું... 

ગઈકાલે મામેરા વિધીનું કરાયું હતું આયોજન 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તે ભવ્યથી અતિભવ્ય હોય છે.. પ્રિ વેડિંગ ફંક્શનના વીડિયો આપણે જોયા છે.. મામેરા ફંક્શનના વીડિયો સામે આવ્યા છે. દુલ્હન રાધિકાએ ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. અંબાણી પરિવારની થનારી વહુ ખુબ સુંદર દેખાઈ રહી હતી. મામેરાની વાત કરીએ તો મામેરુ વિધિએ ગુજરાતી લગ્નની પરંપરા છે. જે લગ્નના એક કે બે દિવસ પહેલા કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, કન્યાના મામા કન્યાને સાડી, ઘરેણાં અને સફેદ બંગડીઓ આપે છે.. 



12 જુલાઈએ થવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અનંત અંબાણી અને રાધિકાના લગ્નના કાર્ડ વહેચાઈ ગયા છે 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેમના લગ્ન થવાના છે. 13મી જુલાઈના રોજ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે આ પહેલી વિધીના દ્રશ્યો સામે આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે