બાહુબલી આનંદ મોહનને જેલ મુક્ત કરવા મામલે નિતીશ સરકારને સુપ્રીમે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-08 16:27:53

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની જેલ મુક્તિના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે બે સપ્તાહમાં જવાબ રજુ કરવાની સુચના આપી છે. તે ઉપરાંત મુક્તિ સાથે સંકળાયેલા રેકોર્ડ પણ આપવાનું પણ કહ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જે કે મહેશ્વરીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. 


દિવંગત IAS જી કૃષ્ણૈય્યાની પત્નીએ કરી છે અરજી


આનંદ મોહન સામે કોર્ટમાં દિવંગત IAS અધિકારી જી કૃષ્ણૈય્યાની પત્ની ઉમા દેવીએ અરજી કરી હતી. તેમની અરજીમાં ઉમા દેવીએ 3 મેના રોજ બિહાર સરકારે કાયદામાં સુધારો કર્યો તેને સુપ્રીમમાં પડકાર્યો છે. ઉમા દેવીનો આરોપ છે કે જ્યારે આનંદ મોહનને આજીવન કારાવાસની સજા થઈ છે તો પછી તે તેમને માત્ર 15 વર્ષમાં જ જેલ મુક્ત કઈ રીતે કરવામાં આવ્યા. તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતને ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


બિહાર સરકારે 10મી એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ 2012માં ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાને પણ સામાન્ય હત્યાની જેમ જ બનાવી દેવામાં આવી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે ફરજ પર તૈનાત સરકારી કર્મચારીના હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવશે નહીં. કાયદામાં સુધારો કરાયા બાદ આનંદ મોહનની જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ પછી 27 એપ્રિલે આનંદ મોહનને સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આનંદ મોહનની મુક્તિ પર વિરોધ પક્ષોએ પણ કોઈ વિરોધ કર્યો ન હતો. નિયમોમાં ફેરફારને લઈને પટના હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.