India-Canadaના તણાવપૂર્ણ સંબંધ વચ્ચે આનંદ મહિન્દ્રાએ લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-22 14:30:44

ભારત અને કેનેડાના સંબંધો દિવસેને દિવસે તણાવપૂર્ણ થઈ રહ્યા છે. કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં ગરમાવો આવી ગયો છે. ભારત દ્વારા કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવાયું છે. આ તણાવની અસર બિઝનેસ પર પણ દેખાઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ આ તણાવની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રાએ કેનેડામાં તેમની કામગીરીને બંધ કરવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં મહિન્દ્રા કંપનીની 11.18 ટકા ભાગીદારી હતી. 


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આપ્યો મોટો ઝટકો 

ભારતની સંસ્થા એનઆઈએ દ્વારા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તે હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાને ભારત પર હત્યામાં સંડોવણી હોવાની વાત કરી હતી. ભારત પર આક્ષેપ કર્યા હતા. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ગરમાવો આવી ગયો હતો. દુતાવાસોમાં આને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આનંદ મહિન્દ્રાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. 


કેનેડામાં કામગીરીને બંધ કરવાનો કર્યો નિર્ણય

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારી મુજબ રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્ક દસ્તાવેજ મળલી ગયા છે. જેની સૂચના કંપનીને આપી દેવામાં આવી છે. જે બાદ કંપનીએ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. મહત્વનું છે કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની આ નિર્ણયને કારણે કેનેડાને મોટો ફટકો પડ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.