માલધારી Vs AMC વચ્ચેની લડાઈમાં ગયો એક વૃદ્ધનો જીવ, જાણો ક્યાં અને કેવી રીતે સર્જાઈ ઘટના? માલધારીઓ રોષે ભરાયા!


  • Published By :
  • Published Date : 2023-09-23 11:42:52

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના જીવ રખડતા ઢોરને કારણે ગયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દરરોજ અનેક લોકો આનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ રખડતા ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકીને પછી ઘરે ઘરે જઈને ઢોર પકડી લાવ્યા! ગઈકાલે એક ઘટના બની જેમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો.


AMCની ટીમ જ્યારે ઘરે બાંધેલા પશુને પકડવા આવી ત્યારે બની આ ઘટના!

ગઈકાલે સવારે શહેરના જુના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધાને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. જોકે, સ્થાનિક માલધારીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી. તે દરમિયાન વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને તેમને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું આ ઘટના બાદ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો. 


જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ

200થી વધુ લોકોનું ટોળું ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બેસી અને વિરોધ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચી ગયા હતા . રબારી સમાજના આગેવાનોની માગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસથી હટીશું નહીં. મૃતકને ન્યાય મળવો જોઇએ. ઢોર પકડવા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.



એક વૃદ્ધનું હાર્ટ એટેકને કારણે થયું મોત 


જ્યારે ઢોર પકડવા આવેલા લોકોની વાત કઈક અલગ હતી તેમને કહ્યું વાડજ વિસ્તારમાં રસ્તા, ફૂટપાથ, અવરજવરની કોમન જગ્યામાં ખિલા, ખુટા, દોરડા બાંધેલા પશુઓ રાખી ટ્રાફિક અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થતા કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જેને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી.


અનેક લોકોના જીવ મૂકાય છે રખડતા ઢોરને કારણે મુશ્કેલીમાં 

મહત્વનું છે કે ઢોર પકડવાની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી માલધારી સમાજમાં એક પ્રકારની રોષની લાગણી વ્યાપી ઉઠી છે. રખડતા પશુઓને ન પકડવામાં આવે તેવી માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં પશુઓને દયનિય હાલતમાં રાખવામાં આવ્યા છે. જે જગ્યા પર રખડતા પશુઓને રાખવામાં આવ્યા હતા તે જગ્યા પર ઉભા રહેવાની જગ્યા પશુઓ માટે ન હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.