અમદાવાદમાં રખડતા પશુને કારણે ગયો એક વૃદ્ધાનો જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુન્હો


  • Published By :
  • Published Date : 2023-02-22 16:14:31

રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓ તેમજ શ્વાનને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે અમદાવાદમાં રખડતાં પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા હાટકેશ્વરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગાય દોડીને આવી અને વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું. શિંગડામાં તેમના કપડા ભરાઈ ગયા હતા અને તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે તેમને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.


ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા હતા 

અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા હોય છે. તો અનેક લોકોના જીવ રખડતા પશુના હુમલાને કારણે જાય છે. ત્યારે રખડતા પશુને કારણે વધુ એક વૃદ્ધાનો જીવ ગયો છે. રસ્તા પરથી ચાલતા ચાલતા જ્યારે વૃ્દ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો. આ ઘટના હાટકેશ્વર જાગેશ્વરી રોડ પર બની હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.  


ગાયના માલિક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ 

રખડતા પશુના વધતા ત્રાસને અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ અંગે નિયમ પણ લાવી હતી પરંતુ ભારે વિરોધ થતાં તે નિર્ણયને પરત લઈ લેવાયો હતો. પરંતુ રાજ્યમાં વધતા રખડતા પશુના ત્રાસને રોકવા પ્રયાસ કરવો જોઈએ. આ ઘટના બાદ  આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાય દ્વારા હુમલો 12 ફેબ્રુઆરીના રોજ થયો હતો પરંતુ આજે તેમનું મોત થયું છે. વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. વૃદ્ધાનું મોત થતા ગાયના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.