Anandથી ગુરૂ શિષ્યના સંબંધને લાંછન લાગે તેવી ઘટના સામે આવી, વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી અને આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-15 15:52:15

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચું સ્થાન આપવામાં આવ્યું છે, શિક્ષકને માતા પિતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે આ પદને લાંછન લગાવતા હોય છે. અનેક એવા શિક્ષકો એવા હોય છે જે વિદ્યાર્થીનીઓ પર નજર બગાડે છે અને પોતાના હવસનો શિકાર બનાવે છે. ત્યારે આણંદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પીટી શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેની પર અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાના મિત્રને ત્યાં લઈ ગયો હતો. શાળાએ ગયેલી સગીરા ઘરે પાછી ના આવતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. સગીરા જ્યારે ઘરે આવી ત્યારે તેણે પોતાના પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે. 


શિક્ષકે વિદ્યાર્થીની પર બગાડી નજર!  

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાથી એક ઘટના સામે આવી છે ગુરૂ શિષ્યના સંબંધોને શર્મસાર કરે તેવી છે. માધ્યમિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય શિક્ષક જયેન્દ્ર રાજે 17 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવી છે. નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને એવી લાલચ આપી કે તે રમતગમતમાં આગળ વધારશે. રમત ગમત ક્ષેત્રમાં તેને આગળ વધારશે તેવી લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. એવી પણ માહિતી સામે આવી કે શિક્ષકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ પણ આપી હતી. વિદ્યાર્થીનીને તે ભગાડી ગયો અને અનેક વખત તેની પર દુષ્કર્મ આચર્યું. સગીરા પર નરાધમે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં રાખી. તો આ તરફ વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ કરી. 


દીકરી જ્યારે ઘરે આવી ત્યારે ફૂટ્યો ભાંડો!

13 દિવસ બાદ જ્યારે સગીરા ઘરે આવી ત્યારે પરિવારજનોએ તેની કડક પૂછપરછ કરી અને તે બાદ આ આખા વાતની ખબર પડી. પરિવારે કડક પૂછપરછ કરી તે બાદ આખો ભાંડો ફૂટ્યો. આખી ઘટનાની ખબર પડતા પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે બાદ પોલીસે આ નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. 


દીકરીઓ પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિત!

મહત્વનું છે કે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાત દીકરીઓ માટે સુરક્ષીત રાજ્ય માનવામાં આવતું હતું. જો દીકરી ઘરની બહાર હોય તો પરિવારના સભ્યોને વધારે ટેન્શન ના રહેતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. ઘરમાં તો ઠીક પરંતુ પોતાના પરિવારના સભ્યોથી પણ અસુરક્ષિત છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાઈ બહેનને હવસનો શિકાર બનાવે છે તો પિતા દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યા છે!   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.