દિલ્હીમાં પણ બની તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે લાગી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-06-15 15:32:39

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે ઉતરવા માટે નાસભાગ કરતા દેખાયા હતા. ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ દેખાયા હતા.


શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન!

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વસ્તુઓને પણ મોટા પાયે નુકસાની પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં પણ આવો અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ આ કેસમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. બત્રા સિનેમા પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 


બારીમાંથી કૂદવા છોકરાઓ મજબૂર!

સોશિયલ મીડિયા પર બાળકોને રેસ્ક્યુ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ પર કાબુ મેળવવા 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બારી પર લટકી રહ્યા છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ફાયર એક્ઝિટ ન હતી જેને કારણે વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદવા મજબૂર બન્યા.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.