દિલ્હીમાં ફરી બની કાંઝાવાલા જેવી ઘટના, ગાડીએ અનેક મીટર સુધી યુવકને ઘસેડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:50:44

દિલ્હીમાં એક તરફ કંઝાવાલા કેસની ચર્ચાઓ સમાપ્ત નથી થઈ ત્યારે આવી જ ઘટના ફરી એક વખત દિલ્હીમાં બની છે. અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રાજધાની દિલ્હીથી એક હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે જેમાં એક્સિડન્ટ કર્યા બાદ અનેક મીટરો સુધી ઘસેડ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે.

 


ગાડીએ 350 મીટર સુધી ઘસેડ્યો 

અકસ્માતોની સંખ્યામાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ અકસ્માત સર્જયા બાદ ઘસેડવાના કિસ્સાઓ શાંત નથી થઈ રહ્યા. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા કંઝાવાલા ઘટના સામે આવી હતી જેમાં એક છોકરી અનેક કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. 350 મીટર સુધી અકસ્માત બાદ વ્યક્તિને ઘસેડ્યો જેને કારણે તેનું મોત થયું છે. 


કેવી રીતે બની ઘટના?

આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. કેશવપુરમ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસે કનૈયા નગર વિસ્તારમાં ટાટા જેસ્ટ કાર અને સ્કુટી વચ્ચે ટક્કર થઈ હતી. સ્કુટી પર બે યુવકો બેઠા હતા અને અકસ્માત થયા બાદ એખ યુવક હવામાં ઉછળીને કારની છત પર પડી ગતો જ્યારે બીજો યુવક ગાડીના વિન્કસ્ક્રીન અને બોનેટ વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત સર્જયા બાદ ગાડી રોકવાની બદલે કારને ભગાડી. કારની નીચે ફસાયેલો વ્યક્તિ પણ ગાડીની સાથે ઘસેડાતો ગયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર છે.    

પોલીસે આરોપીની કરી ધરપકડ  

ગુરૂવાર-શુક્રવારની રાત્રે એક કારે સ્કુટીને ટક્કર મારી જેને કારણે બે લોકો રસ્તા પર પડી ગયા હતા. એક વ્યક્તિનું માથું ગાડીના બોનેટમાં ફસાઈ ગયું હતું. આ બાદ ગાડીએ એ વ્યક્તિને અંદાજીત 350 મીટર સુધી ઘસેડ્યો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જાન્યુઆરી મહિનામાં જ અંજલી નામની છોકરી સાથે આવી ઘટના બની હતી જેમાં તેને 12-13 કિલોમીટર સુધી ઘસેડી હતી. ફરી આવી ઘટના દિલ્હીમાં બની છે. આવી જ ઘટના થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં  પણ બની છે. 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .