દિલ્હીમાં ફરી બની કાંઝાવાલા જેવી ઘટના, ગાડીએ અનેક મીટર સુધી યુવકને ઘસેડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:50:44

દિલ્હીમાં એક તરફ કંઝાવાલા કેસની ચર્ચાઓ સમાપ્ત નથી થઈ ત્યારે આવી જ ઘટના ફરી એક વખત દિલ્હીમાં બની છે. અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રાજધાની દિલ્હીથી એક હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે જેમાં એક્સિડન્ટ કર્યા બાદ અનેક મીટરો સુધી ઘસેડ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે.

 


ગાડીએ 350 મીટર સુધી ઘસેડ્યો 

અકસ્માતોની સંખ્યામાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ અકસ્માત સર્જયા બાદ ઘસેડવાના કિસ્સાઓ શાંત નથી થઈ રહ્યા. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા કંઝાવાલા ઘટના સામે આવી હતી જેમાં એક છોકરી અનેક કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. 350 મીટર સુધી અકસ્માત બાદ વ્યક્તિને ઘસેડ્યો જેને કારણે તેનું મોત થયું છે. 


કેવી રીતે બની ઘટના?

આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. કેશવપુરમ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસે કનૈયા નગર વિસ્તારમાં ટાટા જેસ્ટ કાર અને સ્કુટી વચ્ચે ટક્કર થઈ હતી. સ્કુટી પર બે યુવકો બેઠા હતા અને અકસ્માત થયા બાદ એખ યુવક હવામાં ઉછળીને કારની છત પર પડી ગતો જ્યારે બીજો યુવક ગાડીના વિન્કસ્ક્રીન અને બોનેટ વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત સર્જયા બાદ ગાડી રોકવાની બદલે કારને ભગાડી. કારની નીચે ફસાયેલો વ્યક્તિ પણ ગાડીની સાથે ઘસેડાતો ગયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર છે.    

પોલીસે આરોપીની કરી ધરપકડ  

ગુરૂવાર-શુક્રવારની રાત્રે એક કારે સ્કુટીને ટક્કર મારી જેને કારણે બે લોકો રસ્તા પર પડી ગયા હતા. એક વ્યક્તિનું માથું ગાડીના બોનેટમાં ફસાઈ ગયું હતું. આ બાદ ગાડીએ એ વ્યક્તિને અંદાજીત 350 મીટર સુધી ઘસેડ્યો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જાન્યુઆરી મહિનામાં જ અંજલી નામની છોકરી સાથે આવી ઘટના બની હતી જેમાં તેને 12-13 કિલોમીટર સુધી ઘસેડી હતી. ફરી આવી ઘટના દિલ્હીમાં બની છે. આવી જ ઘટના થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં  પણ બની છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.