ગુજરાત જેવી ઘટના મધ્યપ્રદેશમાં બની! નાની બાળકી બોરવેલમાં પડી! રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અઢી વર્ષની દીકરીને બચાવવા થઈ રહ્યો છે પ્રયાસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-07 15:59:44

બોરવેલમાં ફસાવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ગુજરાતના જામનગરમાં એક દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે હવે મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવી જ ઘટના બની છે. અઢી ત્રણ વર્ષની બાળકી 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને સુરક્ષિત રીતે કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યં છે. 20 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી બાળકીને બહાર લાવવામાં સફળતા નથી મળી. આ અંગે મળતી માહિતી અનુસાર બાળકી 20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ હતી પરંતુ તે ધીમે ધીમે નીચે જઈ રહી છે.


મધ્યપ્રદેશના સિહોરમાં બોરવેલમાં પડી બાળકી! 

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હતી ત્યારે ફરી આવી જ ઘટના બની છે. પરંતુ આ વખતે ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં. મંગળવારે અઢી ત્રણ વર્ષની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા છેલ્લા ઘણા કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે બાળકી બોરવેલમાં પડી ગઈ છે તેનું નામ સૃષ્ટિ બતાવવામાં આવી રહ્યું છે.


દીકરીને બચાવવા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન!  

અંદાજીત 20 કલાકથી બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોરવેલની નજીક ખોદકામ કરવામાં આવી બાળકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 300 ફૂટ ઉંડા બોરવેલમાં તે પડી ગઈ હતી અને ધીરે ધીરે બાળકી નીચે સરકી રહી છે. જેસીબીની મદદથી આજુ બાજુમાં ઉંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે ગંભીરતા દર્શાવી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દીકરીને નિકાળવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આર્મીને પણ બોલાવવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે. ત્યારે દીકરી જલ્દીથી સુરક્ષિત રીતે બહાર નીકળી આવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 


બાળકી જીવતી બહાર આવે તે માટે કરાઈ રહી છે પ્રાર્થના!

ત્યારે બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે કે કેમ તેની પર સૌ કોઈની નજર છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં બોરવેલમાં ફસાયેલું બાળક જીવતા બહાર નીકળે તો એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં ભારે મહેનત કર્યા બાદ પણ જીવ નથી બચાવાઈ શકાતો. જામનગરમાં જે દીકરી બોરવેલમાં ફસાઈ હતી તે મૃત્યુ પામી છે. ત્યારે જોવું રહ્યું કે આ બાળકીને જીવતી બચાવવાના પ્રયાસ સફળતા થાય કે કેમ તે જોવું રહ્યું.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!