શિક્ષકોની ભરતીને લઈ સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-13 13:15:10

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું.. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા છે.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આંદોલન બાદ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી

શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર, વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હતી..તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી.. પરંતુ ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી.. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાણકારી આપી કે  ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે