શિક્ષકોની ભરતીને લઈ સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-13 13:15:10

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું.. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા છે.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આંદોલન બાદ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી

શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર, વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હતી..તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી.. પરંતુ ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી.. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાણકારી આપી કે  ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.