Jammu Kashmirના ડોડામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, ચાર જવાન થયા શહીદ


  • Published By :
  • Published Date : 2024-07-16 10:05:17

આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે સરહદ પર આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે.. પરંતુ અનેક વખત અથડામણમાં દેશે પોતાના વીર સપૂતોને ગુમાવ્યા છે.. આતંકી હુમલામાં પણ દેશે પોતાના અનેક જવાનોને શહીદ થતા જોયા છે.. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવ્યા હતા આતંકી હુમલાના ત્યારે ફરી એક વખત ગઈકાલે જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે જેમાં ચાર જવાન શહીદ થઈ ગયા છે. તે સિવાય અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે તેવી માહિતી સામે આવી છે.. 

અથડામણમાં ચાર જવાન થયા શહીદ

જમ્મુ કાશ્મીરથી ફરી એક વખત દુ:ખદ ઘટના સામે આવી છે.. ચાર જવાનો આતંકવાદી સાથે થયેલી અથડામણમાં શહાદતને પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે 15 જુલાઈએ ડોડા જિલ્લાના ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કરી.. આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવા લાગ્યા.. સેનાના જવાનોએ તેમનો પીછો કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું. ચાર જવાન શહીદ થઈ ગયા છે.  

થોડા દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો

હેલિકોપ્ટરની મદદથી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે જમ્મુ ડિવીઝનના ડોડામાં અનેક વખત એન્કાઉન્ટરની ઘટના બની છે.. 32 દિવસમાં અથડામણની આ પાંચમી ઘટના છે.. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સુરક્ષા કર્મીઓના વાહન પર હુમલો કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. શહાદતને પામેલા વીર જવાનોને સલામ...  



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.