દુઃખનું આભ ફાટ્યું, આંખ સામે જ પરિવારના 7 લોકો ડૂબ્યા


  • Published By :
  • Published Date : 2022-10-31 18:30:31

મોરબીમાં માતમ છવાયો

મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ પર મોતનો તાંડવ જોવા મળ્યો હતો.જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ સવારે મળ્યા હતાં ત્યારે બાદ પાંચ લોકના મૃતદેહ મળ્યા હતાં. આઠ લોકો ફરવા ગયા જેમાંથી એક જ પરિવારના સાત લોકોના મોત થયાં છે. જે પરિવાર માથે આભ ફાટ્યું છે.

 


એક જ પરિવારના 7 લોકોના મોત

અમારી ટીમે આ પરિવારની મુલાકાત લીધી મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 8 લોકો ઝૂલતા પુલ પર ગયા હતા.અને પુલ તૂટવાના કારણે 7 લોકો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક મહિલા તૂટેલા ઝુલા પર લટકી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. એક જ પરિવારના 7 લોકોના મોત થતા પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે માસુમ બાળકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા અહીં


 

મોરબીમા સન્નાટો છવાયો

મોરબીમાં આજે સન્નાટો છવાયો છે ધમધમતા મોરબી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અહીં માત્ર રડવાના અવાજો સંભળાઈ રહ્યા છે અહીં કોઈએ ઘરના મોભી ગુમાવ્યા છે તો કોઈએ પોતાના વહાલસોયા નાના બાળકો અહીં દરેકના હ્ર્દયમાં દર્દ છે અને આંખોમાં આંસુનો દરિયો મોરબીના દર્શ્યો યાદ કરતા જ રુવાડા ઉભા થઇ જાય....



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.