પાટણ નજીક લકઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-05 09:44:23

શનિવારની વહેલી સવારે પાટણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ પલટી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાપીથી રાજસ્થાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 20થી વધું લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


બસ પલટી જતા સર્જાયો અકસ્માત 

લોકો રાત્રીના દરમિયાન સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા અકસ્માત સર્જાતા હોય છે. આ બસનો સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસ પલટી જાય છે. ઘટનાના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. ઊંઘ આવવાને કારણે બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ. 


તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા

બસ પલટી જતા બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અંદાજીત 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. હાઈવે પર અકસ્માત થવાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અનેક લોકો અકસ્માતમાં ગુમાવે છે પોતાનો જીવ 

આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. તેમાં પણ ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રીના સમયે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. જેને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.