પાટણ નજીક લકઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-05 09:44:23

શનિવારની વહેલી સવારે પાટણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ પલટી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાપીથી રાજસ્થાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 20થી વધું લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


બસ પલટી જતા સર્જાયો અકસ્માત 

લોકો રાત્રીના દરમિયાન સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા અકસ્માત સર્જાતા હોય છે. આ બસનો સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસ પલટી જાય છે. ઘટનાના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. ઊંઘ આવવાને કારણે બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ. 


તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા

બસ પલટી જતા બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અંદાજીત 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. હાઈવે પર અકસ્માત થવાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અનેક લોકો અકસ્માતમાં ગુમાવે છે પોતાનો જીવ 

આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. તેમાં પણ ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રીના સમયે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. જેને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.