S.G.Highway પર સર્જાયો અકસ્માત, કાર સાથે આખલો અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો Tatyaa Patel કેસમાંથી લોકોએ શું સબક લીધો?


  • Published By :
  • Published Date : 2023-08-08 10:37:56

આજે વાત કરવી છે રખડતાં ઢોરના ત્રાસની. રખડતા ઢોર સામાન્ય રીતે આપણે રસ્તામાં તો દેખાતા હોય છે, રસ્તા પર વાહન ચલાવતા લોકો જાણે રખડતા ઢોરથી ટેવાઈ ગયા હોય તેવું અનેક વખત લાગે છે. નાના-નાના  રસ્તાઓ પર, ગલીઓમાં રખડતાં ઢોર દેખાય તે સામાન્ય ગણીએ છીએ પરંતુ આ વખતે રખડતાં પશુઓ એસજી હાઈવે પર જોવા મળી રહ્યા છે.  અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કાર ચાલક ગંભીર રીતે ઘાટલ થયો છે અને આખલાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. 


રખડતાં ઢોરનો વધતો આતંક! 

જેમ અકસ્માત એક ચર્ચાનો, એક ડિબેટનો મુદ્દો છે તેવી જ રીતે રસ્તા પર ચાલતા રખડતા ઢોર પણ ચર્ચાનો વિષય છે. એક્સિડન્ટને કારણે થતા લોકોના મોત સમાચારોની હેડલાઈન્સ બની જતી હોય છે પરંતુ રખડતાં ઢોરને કારણે લોકોના થતા મોતના સમાચાર કોઈ નાની જગ્યાએ જોવા મળતી હોય છે. આજે આ વાત એટલા માટે કરવી છે કારણ કે રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ લેવાતા હોય છે તેમ રખડતા ઢોરની અડફેટે આવતા લોકો પણ ભોગ લેવાતા હોય છે. અનેક વખત રસ્તા પર એવા દ્રશ્યો આપણે જોયા હશે કે રસ્તાની વચ્ચો વચ ઢોર ચાલતા હોય અને વાહનચાલક સાઈડમાં ચાલતા હોય.    


આખલા સાથે ટક્કર થતાં માંડ માંડ બચ્યો કારચાલકનો જીવ!

તથ્ય કેસ પછી પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે. કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈવ ચલાવી સારી છે પરંતુ માત્ર  વાહન ચાલકો વિરૂદ્ધ નહી. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એવી વાતો કરી કે સાહેબ આ રખડતાં ઢોર પર ડ્રાઈવ ક્યારે થશે? કારણ કે પરિસ્થિતિ ખરાબ જ થતી જાય છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પરંતુ લોહીલુહાણ કારસવારે કારમાંથી બહાર નિકળતા પહેલા કાર આગળ અને પછી રિવર્સ લીધી હતી. બીજી તરફ આખલોનું ઘટના સ્થળે જ મૃત્ય થયું છે 


તથ્યકાંડમાંથી લોકોએ શીખ્યો સબક!

ઘટના સર્જાઈ તે બાદ કાર ચાલકને મદદ કરવા લોકો આવ્યા. પણ કાર ચાલક કારની બહાર નીકળી રહ્યો ન હતો. લોકોએ નામ પૂછ્યું તો તેને પોતાનું નામ બળદેવ જણાવ્યું. 108ને બોલાવવામાં આવી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇસ્કોન બ્રિજની ઘટનાએ અમદાવાદીઓ પર ઘેરી અસર છોડી છે, તેનું પણ એક ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું. કાર ચાલક ઇજાગ્રસ્ત હતો તો પણ તેને પોતાની ગાડી સાઈડમાં લીધી અને ત્યાં જે લોકો મદદ કરવા ઊભા રહ્યા તે લોકોએ પણ એવું કહ્યું કે જો જો ભાઈ બધા ડિવાઇડર પર ઉભા રહો, રોડ પર કોઇ ઊભા ન રહેશો તથ્યવાળી ન થાય જોજો.


રખડતાં ઢોર વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અમદાવાદમાં થોડા દિવસ પહેલાજ તથ્ય પટેલ નામના નબીરાએ એસ.જી. હાઇવેના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી બે પોલીસકર્મીઓ સહિત દસ લોકોને કચડી નાખ્યા હતા. પણ આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે S.G.Higway પર આખલો આવ્યો ક્યાંથી? પોલીસ દ્વારા કરવામાં આવતી ડ્રાઈવ સારી છે, લોકો કાયદાનું પાલન કરે તે પણ જરૂરી છે પરંતુ શું માત્ર અકસ્માત વાહનનોને કારણે જ થાય છે? રસ્તા પર ખુલ્લેઆમ ફરતા રખડતાં ઢોર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.. કારણ કે અનેક લોકોએ પોતાનો જીવ રખડતાં ઢોરને કારણે ગુમાવ્યો છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!