બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો અકસ્માત, ઓવરટેક કરતી વખતે ઈકોકાર અને બાઈક વચ્ચે બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-26 16:08:52

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો છે. અકસ્માત ઈકોકાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની ઓવરકેટ કરવા જતા વખતે ઈકોકાર અને સામેથી આવતા બાઈકનો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.


ઓવરટેક કરતી વખતે સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગ તેમજ વાહન ચાલકોની બેદરકારીને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. કોઈ વખત વાંક ન હોવા છતાંય અકસ્માતમાં જીવ જતો હોય છે. ત્યારે એક અકસ્માત કપડવંજ તાલુકાના બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો હતો. ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઈક સાથે ઈકોકારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઈકોકાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.  


અકસ્માતને કારણે વિખેરાયો પરિવાર 

અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. કોઈ પોતાનો પુત્ર ખોવે છે તો કોઈ પોતાનો પતિ ખોવે છે. આ અકસ્માતમાં પણ બે બાળકોએ પોતાના પિતા ખોયા છે. એક બાળક પાંચ વર્ષનો હતો જ્યારે બીજો પુત્ર ફક્ત 6 દિવસનો છે. આ અકસ્માતને કારણે બંને પુત્રો પિતા વિહોણા બન્યા છે. આ ઘટનામાં કાર ચાલકની ભૂલને કારણે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.