જમ્મુ શ્રીનગર હાઈવે નજીક સર્જાયો અકસ્માત! બસ પુલ નીચે પડતા સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-05-30 08:58:43

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવાર સવારે એક બસ પુલ નીચે ખાબકી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સીઆરપીએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. 50થી વધારે યાત્રીઓ આ બસમાં સવાર હતા.


ઘટનામાં થયાં 7 લોકોના મોત!

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક અક બસ પુલ નીચે ખાબકી પડતા અકસ્માત સર્જાયો છે. ઝજ્જર કોટલી નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 50થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જમ્મુના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.