જમ્મુ શ્રીનગર હાઈવે નજીક સર્જાયો અકસ્માત! બસ પુલ નીચે પડતા સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-05-30 08:58:43

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવાર સવારે એક બસ પુલ નીચે ખાબકી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સીઆરપીએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. 50થી વધારે યાત્રીઓ આ બસમાં સવાર હતા.


ઘટનામાં થયાં 7 લોકોના મોત!

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક અક બસ પુલ નીચે ખાબકી પડતા અકસ્માત સર્જાયો છે. ઝજ્જર કોટલી નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 50થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જમ્મુના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!