Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના,ગાડી પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાતા થયા 6 લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:42:48

દેશમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. આ વખતે રોડ અકસ્માત ઉત્તરપ્રદેશના કાનપુરમાં સર્જાયો છે. આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને અકસ્માત સર્જાયો. અનિયમિત થઈ ગયેલી ગાડી નાળામાં પટકાઈ ગઈ જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. સારવાર અર્થે ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી ઉપરાંત સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.


મોડી રાત્રે સર્જાયો અકસ્માત અને થયા 6 લોકોના મોત!

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક રોડ અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે થયા છે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત સિકંદરા પોલીસ સ્ટેશનના જગન્નાથપુર ગામડા પાસે સર્જાયો હતો. આ અકસ્માત 4-5 ફેબ્રુઆરી દરમિયાન મોડી રાત્રે 2 વાગે બન્યો હતો. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડેરાપુર તેમજ શિવરાજપુરના રહેવાસી હતા.


અનિયંત્રિત ગાડી થઈ જવાને કારણે સર્જાયો અકસ્માત 

જે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે તે તિલક સમારોહમાં ભાગ લેવા ગયા હતા ઈટાવાના મુર્રા ગામમાં. આ સમારોહથી પરત ફરતી વખતે ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને નાળામાં પલટી ખાઈ ગઈ. આ અકસ્માત સર્જાયા પાછળનું એક કારણ એ હોઈ શકે છે તે રાતના સમયે વરસાદ થઈ રહ્યો હતો અને ગાડી સ્પીડમાં હતી. આ મામલાની તપાસ કરવામાં આવશે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોના જીવ બચી ગયા છે. 


આ ઘટનામાં કોના થયા મૃત્યુ? 

જે લોકોના મોત થઈ ગયા છે તે અંગેની માહિતી સામે આવી છે જે પ્રમાણે 42 વર્ષના વિકાસ ગાડી ચલાવી રહ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 17 વર્ષની ખુશબુ, 13 વર્ષની પ્રાચી, 55 વર્ષના સંજય ઉર્ફે સંજૂ, 16 વર્ષનો ગોલું તેમજ 10 વર્ષના પ્રતિકની મોત થઈ ગઈ છે. જે બે લોકો બચી ગયા છે તેમાંનો એક વ્યક્તિ 18 વર્ષનો છે જ્યારે બીજી વ્યક્તિ 16 વર્ષની છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે