અમદાવાદના શાહપુરમાં સર્જાયો અકસ્માત, AMTS બસના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા નિપજ્યું મોત, ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-04 13:41:59

રસ્તા પર ચાલતા બેફામ વાહનોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે. કોઈ સ્ટંટ કરવા માટે બેફામ રીતે વાહનને ચલાવે છે તો કોઈ રિલ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેફામ ચાલતા વાહનોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને જેને કારણે કોઈ માણસનું મોત પણ થાય છે. ત્યારે શાહપુરમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે જેમાં એક વૃદ્ધનું મોત પણ થઈ ગયું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે અનેક વખત સરકારી બસને કારણે અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે.


શાહપુર નજીક એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત!

અમદાવાદના રસ્તા પર ચાલતી એએમટીએસ બસને અમદાવાદીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. અનેક મુસાફરો બસમાં મુસાફરી કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી બસના ડ્રાઈવર ચર્ચામાં આવી રહ્યા છે. બસ ડ્રાઈવરના અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં જોવા મળે છે કે કેટલી ઝડપમાં તેઓ બસને ચલાવતા હોય છે. અનેક વખત ડ્રાઈવરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. એસટી બસના પણ અનેક વીડિયો સામે આવતા હોય છે જેને કારણે સલામતી સવારીના સ્લોગન પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે અમદાવાદના શાહપુરમાં એએમટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલા ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા છે અને તેમનું મોત થયું છે. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 


10 વર્ષમાં સર્જાયા બસને કારણે આટલા અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પુરઝડપે આવતી બસ અનેક લોકો માટે કાળ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા વિશાલા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક વાહનોને બસે પોતાની અડફેટે લીધા હતા. જો અકસ્માતોના સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની અંદર 2400થી વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એમટીએસ બસ દ્વારા થયેલો અકસ્માત કોઈ નવી વાત નથી. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!