અમદાવાદના મીઠાખળીમાં સર્જાઈ દુર્ઘટના, જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ પડી જતા મજૂર થયો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 16:46:57

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જૂની બિલ્ડીંગો તેમજ મકાનો ધરાશાયી થયા હોવાના સમાચાર મળતા રહે છે. ગઈકાલે જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાયી થતા ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જર્જરિત મકાનો મુખ્યત્વે આવા સમય દરમિયાન તૂટી પડતા હોય છે. ત્યારે અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે મીઠાખળી વિસ્તારમાં જૂના મકાનને ઉતારવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ કે મકાન ઉતારતી વખતે જ મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને તેની નીચે મજૂર દબાઈ ગયો. ઈજાઓ પહોંચતા મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.    


મકાન નીચે ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના  

ગઈકાલે જૂનાગઢથી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આજે અમદાવાદમાં આવી ઘટના બની છે. આ દુર્ઘટના ત્યારે બની છે જ્યારે મકાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવાની  નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે મકાન માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 


મજૂર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા 

મકાન ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. કામ શરૂ થતાં સવારે મજૂરો દ્વારા મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તે સમયે મકાનનો એક ભાગ તૂટી પડતાં મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધાબું બેસી ગયું છે. જેના કારણે મજૂર નીચે પટકાઈ ગયા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ તરત ખસેડવામાં આવ્યા હતા. જૂનુ મકાન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!