અમદાવાદના મીઠાખળીમાં સર્જાઈ દુર્ઘટના, જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ પડી જતા મજૂર થયો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 16:46:57

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જૂની બિલ્ડીંગો તેમજ મકાનો ધરાશાયી થયા હોવાના સમાચાર મળતા રહે છે. ગઈકાલે જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાયી થતા ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જર્જરિત મકાનો મુખ્યત્વે આવા સમય દરમિયાન તૂટી પડતા હોય છે. ત્યારે અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે મીઠાખળી વિસ્તારમાં જૂના મકાનને ઉતારવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ કે મકાન ઉતારતી વખતે જ મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને તેની નીચે મજૂર દબાઈ ગયો. ઈજાઓ પહોંચતા મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.    


મકાન નીચે ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના  

ગઈકાલે જૂનાગઢથી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આજે અમદાવાદમાં આવી ઘટના બની છે. આ દુર્ઘટના ત્યારે બની છે જ્યારે મકાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવાની  નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે મકાન માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 


મજૂર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા 

મકાન ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. કામ શરૂ થતાં સવારે મજૂરો દ્વારા મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તે સમયે મકાનનો એક ભાગ તૂટી પડતાં મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધાબું બેસી ગયું છે. જેના કારણે મજૂર નીચે પટકાઈ ગયા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ તરત ખસેડવામાં આવ્યા હતા. જૂનુ મકાન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.