Ahmedabad-Rajkot હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના કમકમાટીભર્યા મોત!


  • Published By :
  • Published Date : 2023-12-14 15:51:56

છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. અલગ અલગ અકસ્માતોને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. ગઈકાલે જ પાટણમાં એક અકસ્માત થયો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક જાનવર આવી ગયો જેને કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પાણી ભરેલા ખાડામાં પડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આજે પણ એક અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેમાં બે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા છે. 

rajkot-ahmedabad-highway-accident-3-people-died-and-other-injured-in-truck-and-two-cars-accident-249073

બે ગાડી અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

હાઈ-વે અનેક વખત આપણે લોકોને બેફામ રીતે વાહન ચલાવતા જોયા હશે. રસ્તા પર લોકો સ્ટંટ કરતા પણ દેખાય છે. સ્ટંટ કરતા લોકો ન માત્ર પોતાના જીવનને જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવ પર પણ સંકટ ઉભું કરે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ કરતા લોકો દેખાય છે. અકસ્માતો આને કારણે પણ સર્જાય છે પરંતુ બીજા અનેક કારણો હોય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર માલિસણા ગામ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. 


ઘટનાસ્થળ પર થયાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત!

જે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાની એક ગાડી સુરેન્દ્રનગર પાસિંગની હતી જ્યારે બીજી ગાડી રાજકોટ પાસિંગની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ભયંકર અકસ્માત વહેલી સવારે થયો હતો. આ એટલો ભયંકર અકસ્માત હતો કે દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે પહેલા બ્રેક મારી અને પછી બે કાર પાછળ ઘૂસી ગઈ. પાછળથી ડમ્પર અથડાયું અને બંને ગાડીનું પડીકું વળી ગયું. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકોના મોત થઈ ગયા છે.

       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.