Ahmedabad-Rajkot હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના કમકમાટીભર્યા મોત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-14 15:51:56

છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. અલગ અલગ અકસ્માતોને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. ગઈકાલે જ પાટણમાં એક અકસ્માત થયો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક જાનવર આવી ગયો જેને કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પાણી ભરેલા ખાડામાં પડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આજે પણ એક અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેમાં બે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા છે. 

rajkot-ahmedabad-highway-accident-3-people-died-and-other-injured-in-truck-and-two-cars-accident-249073

બે ગાડી અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

હાઈ-વે અનેક વખત આપણે લોકોને બેફામ રીતે વાહન ચલાવતા જોયા હશે. રસ્તા પર લોકો સ્ટંટ કરતા પણ દેખાય છે. સ્ટંટ કરતા લોકો ન માત્ર પોતાના જીવનને જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવ પર પણ સંકટ ઉભું કરે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ કરતા લોકો દેખાય છે. અકસ્માતો આને કારણે પણ સર્જાય છે પરંતુ બીજા અનેક કારણો હોય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર માલિસણા ગામ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. 


ઘટનાસ્થળ પર થયાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત!

જે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાની એક ગાડી સુરેન્દ્રનગર પાસિંગની હતી જ્યારે બીજી ગાડી રાજકોટ પાસિંગની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ભયંકર અકસ્માત વહેલી સવારે થયો હતો. આ એટલો ભયંકર અકસ્માત હતો કે દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે પહેલા બ્રેક મારી અને પછી બે કાર પાછળ ઘૂસી ગઈ. પાછળથી ડમ્પર અથડાયું અને બંને ગાડીનું પડીકું વળી ગયું. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકોના મોત થઈ ગયા છે.

       



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.