એમ્બ્યુલન્સ અને 4 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત, પીએમ મોદીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:38:38

પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગૂમાવે છે. ત્યારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વર્લી સી લીંક રોડ પર અક્માત સર્જાયો છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   

વહેલી સવારે બની અકસ્માતની ઘટના 

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. સવારના સમયે 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંદાજીત 10 લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 5 લોકોના મોત થયા હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ, પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ સાથે બીજી ત્રણ ગાડીઓ ભટકાઈ હતી. પાછળથી 3 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે અથડાતા, આ અકસ્માત વધુ ગંભીર બની ગયો હતો.  


વડાપ્રધાનને પાઠવી સાંત્વના  

આ અકસ્માતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરતા કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સીં-લિંક પર થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિ માટે દુ:ખી છું. શોકાગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના દાખ્વું છું. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.