જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, દોઢ વર્ષની બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:17:03

અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જામનગર હાઈવે પર ત્રીજા દિવસે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


નાની બાળકીનું થયું મોત  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. તે સિવાય પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગઈકાલે બન્યા અકસ્માતના અનેક બનાવ    

એક બે દિવસ પૂર્વે જ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તે સિવાય ગણતંત્ર દિવસ પર પણ અનેક અકસ્માત થયા છે જેમાં લોકોના મોત થયા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર પાસે અકસ્માત સર્જાયો છે. તે સિવાય સુરતમાં પણ અકસ્માતમાં બાળકનું મોત થયું છે. તે સિવાય ભરૂચમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.