Ahmedabadના આ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના, AMTSની અડફેટે આવતા માસુમ બાળક બન્યો અકસ્માતનો ભોગ, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-08-24 11:19:41

ગુજરાતમાં સરકારી બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના અવાર-નવાર મળતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વાર એએમટીએસ બસને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. મૃત્યુ પામનાર યુવાન નહીં પરંતુ બાળક છે. મળતી માહિતી અનુસાર જે માસુમ બાળકનું આ દુર્ઘટનામાં મોત થયું છે તે 7થી 8 વર્ષનો હતો. આ દુર્ઘટના પ્રેમ દરવાજા પાસે બની હતી. બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવી રહેલી બસ તેની પર ફરી વળી. 


એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત 

રસ્તા પર એમએટીએસ તેમજ બીઆરટીએસ બસ અનેક વખત બેફામ દોડતી દેખાય છે. અનેક વખત ડ્રાઈવર રસ્તા પર એવી રીતે બસને ચલાવતા હોય જાણે રસ્તો તેમના બાપનો હોય. કોઈ વખત તો નશાની હાલતમાં પણ બસ ડ્રાઈવરો દેખાતા હોય છે. ત્યારે પૂર ઝડપે આવી રહેલી એએમટીએસ બસ માસુમ બાળક માટે યમદૂત સાબિત થઈ છે. 


માસુમ બાળકે દુનિયાને કહી દીધું અલવિદા 

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ 7-8 વર્ષનું બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું. જ્યારે તે પ્રેમ દરવાજાથી પસાર થયું ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી એએમટીએસે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોલીસે આ મામલે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    

     

તથ્ય કાંડમાંથી પણ આપણે નથી લઈ રહ્યા બોધપાઠ 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે કોઈની મજા બીજા માટે સજા રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. થોડા મહિના પહેલા ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આપણે ઘટનાઓમાંથી નથી શીખતા તે આપણી મોટામાં મોટી ખામી છે. જ્યાં સુધી આપણા પર ન વિતે ત્યાં સુધી આપણે નથી સુધરતા.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!