સુરતમાં 18 વર્ષીય છોકરાએ કર્યો આપઘાત, ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન


  • Published By :
  • Published Date : 2023-01-31 15:55:07

અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 18 વર્ષીય છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા મમ્મીને વોટ્સએપ પર મેસેજ લખ્યો જેમાં તેણે સોરી લખ્યું હતું. ચાર દિવસ પહેલા જ આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રકારના પગલાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


મમ્મીને સોરી લખી કર્યો આપઘાત 

છેલ્લા ઘણા સમયથી આપઘાત કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપઘાતનું પગલું ઉઠાવી મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં 18 વર્ષના બાળકે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આપઘાત કરતા પહેલા હાર્દિક ઝડફિયાએ પોતાની માતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે સોરી લખ્યું હતું. આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. 


થોડા દિવસ પહેલા ઉજવાયો હતો જન્મદિવસ 

ખટોદરા વિસ્તારમાં રહેતા હાર્દિકે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાધો હતો. સારવાર માટે હાર્દિકને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિકના આ પગલાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા દિવસો પહેલા જ હાર્દિકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે કરી કાર્યવાહી 

આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો ત્યારે જોયું તો ભાઈ ગળે ફાંસો ખાઈ લટકતો હતો. નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. તેણે માતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહ્યું હતું. તે બાદ મમ્મીને સોરી મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો બસ. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.