સુરતમાં 18 વર્ષીય છોકરાએ કર્યો આપઘાત, ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન


  • Published By :
  • Published Date : 2023-01-31 15:55:07

અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 18 વર્ષીય છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા મમ્મીને વોટ્સએપ પર મેસેજ લખ્યો જેમાં તેણે સોરી લખ્યું હતું. ચાર દિવસ પહેલા જ આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રકારના પગલાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


મમ્મીને સોરી લખી કર્યો આપઘાત 

છેલ્લા ઘણા સમયથી આપઘાત કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપઘાતનું પગલું ઉઠાવી મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં 18 વર્ષના બાળકે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આપઘાત કરતા પહેલા હાર્દિક ઝડફિયાએ પોતાની માતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે સોરી લખ્યું હતું. આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. 


થોડા દિવસ પહેલા ઉજવાયો હતો જન્મદિવસ 

ખટોદરા વિસ્તારમાં રહેતા હાર્દિકે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાધો હતો. સારવાર માટે હાર્દિકને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિકના આ પગલાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા દિવસો પહેલા જ હાર્દિકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે કરી કાર્યવાહી 

આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો ત્યારે જોયું તો ભાઈ ગળે ફાંસો ખાઈ લટકતો હતો. નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. તેણે માતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહ્યું હતું. તે બાદ મમ્મીને સોરી મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો બસ. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!