અમૂલ બટર બજારમાંથી ગાયબ, ગ્રાહકો ત્રાહિમામ…કંપનીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-11-15 17:01:10

અમૂલનું લોકપ્રિય બટર બજારમાંથી ગાયબ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે. બટરનું વેચાણ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે વધી જતુ હોય છે, પણ દિલ્હી, અમદાવાદ અને પંજાબ સહિત દેશના અનેક વિસ્તારોમાં અમૂલ બટરની અછત સર્જાઈ છે. ગ્રોસરી સ્ટોર તો ઠીક પણ અમૂલના પાર્લર પર પણ આ બટર હાલ ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં 20-25 દિવસો સુધી અમૂલ બટરની અછત છે, ઉત્તર પ્રદેશમાં પણ આ જ સ્થિતી છે. 


બટરની અછત અંગે અમૂલે શું કહ્યું?


બટરની અછતને લઈ અમૂલે ખુલાસો કર્યો છે કે દિવાળી દરમિયાન બજારમાં માખણની જબદસ્ત ડિમાન્ડ હતી અને પ્રોડક્સન પણ મોટા પ્રમાણમાં થયું હતું, આ જ કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બટરની અછત સર્જાઈ છે. બીજી બાજુ પશુંઓમાં ફેલાયેલા લંપી વાયરસના કારણે પણ અસર પડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બજારમાં અમૂલ માખણની બજારમાં અમૂલ બટરનો પુરવઠો અને ઉપલબ્ધતા 4-5 દિવસમાં સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે." 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.