અમૂલ બટર બજારમાંથી ગાયબ, ગ્રાહકો ત્રાહિમામ…કંપનીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-11-15 17:01:10

અમૂલનું લોકપ્રિય બટર બજારમાંથી ગાયબ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે. બટરનું વેચાણ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે વધી જતુ હોય છે, પણ દિલ્હી, અમદાવાદ અને પંજાબ સહિત દેશના અનેક વિસ્તારોમાં અમૂલ બટરની અછત સર્જાઈ છે. ગ્રોસરી સ્ટોર તો ઠીક પણ અમૂલના પાર્લર પર પણ આ બટર હાલ ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં 20-25 દિવસો સુધી અમૂલ બટરની અછત છે, ઉત્તર પ્રદેશમાં પણ આ જ સ્થિતી છે. 


બટરની અછત અંગે અમૂલે શું કહ્યું?


બટરની અછતને લઈ અમૂલે ખુલાસો કર્યો છે કે દિવાળી દરમિયાન બજારમાં માખણની જબદસ્ત ડિમાન્ડ હતી અને પ્રોડક્સન પણ મોટા પ્રમાણમાં થયું હતું, આ જ કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બટરની અછત સર્જાઈ છે. બીજી બાજુ પશુંઓમાં ફેલાયેલા લંપી વાયરસના કારણે પણ અસર પડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બજારમાં અમૂલ માખણની બજારમાં અમૂલ બટરનો પુરવઠો અને ઉપલબ્ધતા 4-5 દિવસમાં સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે." 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.