29 અને 30 સપ્ટેમ્બરના રોજ AMTS-BRTS બસ રહેશે પીએમ મોદીની સેવામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:56:57

29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની કાર્યક્રમમાં લોકોને લાવવા -મૂકવાની જવાબદારી AMTSઅને BRTSને સોંપી દેવામાં આવી છે. 29 માટે 400 બસની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 30 સપ્ટેમ્બર માટે 800 બસોની ફાળવણી કરવામાં આવી છે તેવુ સૂત્રોનું માનવું છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બસો વ્યસ્ત હોવાથી AMTSઅને BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 

Home | Amdavad Municipal Transport Services

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express


પીએમ મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા અપાઈ AMTS-BRTSને જવાબદારી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાત શરૂ થઈ ગયો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. 29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી તેઓ 36મા નેશનલ ગેમ્સ ઉદ્ધાટન કરવાના છે. અને 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. વડાપ્રધાન મોદીના આ 2 કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા આ બસોનો ઉપયોગ કરવામાં આવશે. બસોમાં આમાં વ્યસ્ત હોવાને કારણે બસમાં મુસાફરી કરતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે.      



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.