અમદાવાદની AMTS બસે છેલ્લા 10 વર્ષમાં અકસ્માતોની વણઝાર કરી, સત્તાવાર આંકડો જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-23 13:36:54

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની AMTS  લાલ બસ સેવા રાહદારીઓ અને વાહનચાલકો માટે ખતરનાક બની રહી છે. AMTSની સેવા ખાનગી હાથોમાં ગયા બસી તો તેની સર્વિસ પણ ઘણી કથળી છે. શહેરની લાઈફલાઈન ગણાતી આ AMTS બસ સેવાના ડ્રાઈવરોએ છેલ્લા 10 વર્ષમાં અકસ્માતોનો કિર્તિમાન સર્જ્યો છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે.


AMTSએ કેટલા અકસ્માતો કર્યા?


તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ AMTS બસ સેવા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોના જીવ ગયા છે. જ્યારે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત AMTS બસ સેવાએ છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. આ આંકડા જણાવે છે કે ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસ સર્વિસના ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગ કરે છે. વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમાં 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.



ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.