Amrut Kalash Yatra : Gujaratની માટી લઈ ઈલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓ પહોંચી દિલ્હી


  • Published By :
  • Published Date : 2023-11-01 14:49:02

સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યાઓની માટી ભેગી કરવામાં આવી. ત્યારે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી આ અમૃત કળશ યાત્રા નિકળી હતી. આ વિધાનસભાની માટી ભેગી કરાઈ. આ યાત્રાની જવાબદારી વડોદરા મહાનગર સંગઠનને સોંપવામાં આવી હતી.આ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર અને 35 સીએનજી કાર આ યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રાનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવ્યું હતું. 

યાત્રામાં જોડાઈ ઈલેક્ટ્રિક તેમજ સીએનજી ગાડીઓ

અમૃત કળશ યાત્રા પોતાનામાં એક એવો કાર્યક્રમ છે જે ન ભૂતો ન ભવિષ્યતી જેવો છે. વિશ્વભરમાં આવો કાર્યક્રમ નથી યોજવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન પર્યાયવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન ગુજરાત દ્વારા રાખવામાં આવ્યું છે. પર્યાયવરણને નુકસાન ન થાય તે માટે અમૃત કળશ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર તેમજ 35 સીએનજી કારનો ઉપયોગ કરાયો છે. આ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરી અને માટી ભેગી કરી 31 ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. આ યાત્રાનો શુભારંભ 29-10-2023થી કરાયો હતો. 

શા માટે કરાયું 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન?

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . 31 ઓક્ટોબર 2023એ આ યાત્રાનું સમાપન થયું છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો હતો જેમણે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપ્યું હતું. દેશના ખુણેખુણેથી અલગ અલગ કળશો દિલ્હી પહોંચ્યા હતા. ગ્રીન એનર્જીના સંદેશ સાથે ગુજરાતથી ગાડીઓ દિલ્હી પહોંચી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.