અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા


  • Published By :
  • Published Date : 2023-04-10 16:28:48

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીત સિંહની દિલ્હી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય પપ્પલપ્રીત સિંહ 18 માર્ચથી ફરાર હતો. થોડા દિવસો પહેલા તે બંને એક વાયરલ ફોટોમાં સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે એક મોટા ઓપરેશન બાદ આ સફળતા મેળવી છે. 38 વર્ષીય પપલપ્રીત સિંહને અમૃતપાલ પોલીસની પકડમાંથી છટકી જવા પાછળનું ભેજું માનવામાં આવે છે. પપલપ્રીત પાકિસ્તાનની ISI સાથે ગાઢ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ મેળવતો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


પોલીસે શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન


અમૃતપાલ સિંહનો નજીકનો સાથી પપ્પલપ્રીત સિંહ કથિત રીતે એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. પપલપ્રીત સિંહ હોંશિયારપુરના તનૌલી ગામ પાસેના ડેરામાં જોવા મળ્યો હતો. જોકે આ ફૂટેજ 29 માર્ચના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના એક દિવસ બાદ પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગની ટીમે ફગવાડાથી ટોયોટા ઈનોવા વાહનનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત મુસાફરી કરી રહ્યા હતા. જે 'ડેરા'ના ફૂટેજ સામે આવ્યા છે તે એક ગામમાં સ્થિત છે, જે મરનિયા ગામથી માત્ર બે-ત્રણ કિમી દૂર છે. પોલીસે બંનેને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.


પંજાબ પોલીસ એલર્ટ મોડ પર


અમૃતપાલ સિંહના વૈશાખીની ઉજવણી દરમિયાન આત્મસમર્પણની અફવાઓ પહેલા પંજાબ પોલીસે સમગ્ર પંજાબમાં તેની તકેદારી વધારી છે. પપલપ્રીતની ધરપકડ પોલીસને અમૃતપાલ સિંહની નજીક લાવવામાં મદદ કરશે.પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે સોમવારે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જેને કાયદો ઈચ્છે પોલીસ તેને પકડી લેશે અને આવા લોકો કાયદાની સામે આત્મસમર્પણ કરી દે તો સારું રહેશે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.