'ખાલીસ્તાની' અમૃતપાલ સિંહના સમર્થકોનું હલ્લા બોલ, હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર કબજો


  • Published By :
  • Published Date : 2023-02-23 16:09:21

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનવાદીઓ માથું ઉંચકી રહ્યા છે, રાજ્યમાં સક્રિય બનેલા ખાલીસ્તાની સમર્થકો સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આજે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતસરમાં એકત્રિત થયા હતા. હાથોમાં હથિયારો અને તલવારો સાથે એકઠા થયેલા આ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો બાદમાં અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો જમાવી દીધો હતો.


શા માટે વિરોધ થયો?


પંજાબના અલગતાવાદી સંગઠન વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તોફાનીની ધરપકડનો વિરોધ કરવા માટે સેંકડો સમર્થકો એકઠા થયા હતા. અજનાલા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં અમૃતપાલના સમર્થનમાં નિહંગ તલવારો સાથે પહોંચ્યા હતા પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને બાદમાં કબજો જમાવી દીધો હતો. 


અમૃતપાલે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે તાજેતરમાં જ એક નિવેદન આપી જોરદાર વિવાદ સર્જ્યો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિધ્ધુની વરસી પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. અમૃતપાલે કથિત રીતે તેમના નિવેદનમાં કહ્યું કે જે ઈન્દિરા ગાંધી સાથે થયું તે જ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે પંજાબનો દરેક બાળક ખાલીસ્તાનની વાત કરે છે. આ ધરતીના અમે હકદાર છીએ, કેમ કે અમે અહીં રાજ કર્યું છે, પછી તે અમિત શાહ હોય કે ભગવત માન કોઈ અમને ત્યાંથી હટાવી શકશે નહીં. આખી દુનિયાની ફોજ આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.