અમરેલી 20 નવેમ્બરે મોદી તો 22એ રાહુલની જનસભા સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-16 18:22:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની રેલી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમરેલીમાં રેલી સંબોધશે. 20 નવેમ્બરે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે ત્યારબાદ 22 નવેમ્બરે રાહુલ ગાંધીની સભા યોજાશે. બંને નેતાની સભા એક જ મેદાનમાં અને એક જ મંડપમાં યોજાશે. 

આગામી દિવસોમાં આ શહેરની મોદી લેશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે બે દિવસ ગુજરાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 વિધાનસભા સીટ પર 6 જનસભા સંબોધશે અને રોડ શૉ પણ કરશે. 19 નવેમ્બરે વાપીમાં રોડ શૉ કરશે અને વલસાડમાં સભા સંબોધશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.   

એક જ સ્થળે મોદી-રાહુલની સભા

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં રાહુલ ગાંધી રેલી કરશે. 20 નવેમ્બરે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે રાહુલ ગાંધી તે જ જગ્યા પર સભા સંબોધશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.