Amreli : દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ, સુરગપરામાં રમતાં રમતાં બાળકી ખુલ્લા બોરમાં પડી


  • Published By :
  • Published Date : 2024-06-14 16:47:10

બોરવેલમાં ફસાઈ જવાને કારણે અનેક બાળકોના જીવન સંકટમાં મૂકાઈ જતા હોય છે.. બોરવેલમાં ફસાયેલા બાળકોના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે અમરેલીથી... અમરેલીના સુરપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી ગઈ છે.. જે બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ છે જેની ઉંમર દોઢ વર્ષની છે. પરપ્રાંતિય ખેત મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.. 

girl falls into borewell


બાળકીની જિંદગી બચાવવાની થઈ રહી છે કોશિશ

બાળક રમતા રમતા અનેક વખત પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે. થોડા સમય પહેલા સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સાતમા માળથી બાળક પટકાયું હતું.. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.. ત્યારે અમરેલીથી એક ઘટના સામે આવી છે જ્યાં બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ અને તેની જિંદગીને બચાવવાની કોશિશ થઈ રહી છે.. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બાળકને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે બાળકીને.. 

Girl falls into borewell in Amreli


દોઢ વર્ષની બાળકી ફસાઈ ગઈ બોરવેલમાં 

ખુલ્લા રાખવામાં આવતા બોરને કારણે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. બોર ખુલ્લો હોવાને કારણે નાનું બાળક અંદર જતું રહે છે, અંદર પડી જાય છે.. અનેક કિસ્સાઓ આપણી સામે છે.. રમતા રમતા બાળક તે બોરમાં પડી જાય છે અને તેની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે.. નાના બાળકને નથી ખબર હોતી કે આગળ બોરવેલ છે, તે બોરવેલ તેના માટે જોખમી છે. આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં બોરવેલમાં પડી જનાર બાળકી માત્ર દોઢ વર્ષની હતી.. પરપ્રાંતથી આવેલા મજૂરની બાળકી ભનુભાઈ ભીખાભાન કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં પડી ગઈ છે. 40થી 45 ફૂટ ઉંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. એવી માહિતી સામે આવી છે કે પ્રફૂલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આવા ખુલ્લા બોર રાખનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે