Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે PM Modi પર કર્યા પ્રહાર, Adaniનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:35:34

અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં નેતાઓ બેફામ રીતે નિવેદનો આપતા હોય છે અને તે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આવા કાર્યક્રમોમાં નેતાઓના દર્દ પણ છલકાઈ આવે છે. પોતાના મનની વેદના જાહેર મંચ પરથી નેતાઓ વ્યક્ત કરતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીને નિવેદન આપ્યું છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  

પીએમ મોદી દેશનો નહીં પરંતુ....  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીને લઈ પાર્ટી તૈયારી કરી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે જેને કારણે રાજકારણ ગરમાય છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીએ અને સ્મૃતિ ઈરાનીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશનો નહીં અદાણી અંબાણીનો દલાલ છે. તે ઉપરાંત સ્મૃતિ ઈરાનીને લઈ પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

જાહેર મંચ પરથી છલકાય છે નેતાઓનું દર્દ!

મહત્વનું છે કે જ્યારે આવા કાર્યક્રમો થતાં હોય છે ત્યારે પૂર્વ નેતાઓ, સાંસદોના દર્દ છલકાઈ આવતા હોય છે. ન માત્ર કોંગ્રેસના પરંતુ ભાજપ નેતાઓના પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અદાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવે છે. સંસદમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.