અમિતાભે પણ દેશમાં નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર ઉઠાવ્યા સવાલો, મમતાએ કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2022-12-16 12:06:38

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનના એક નિવેદને વિવાદ સર્જ્યો છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે દેશની આઝાદીને આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આજે પણ નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર સવાલો ઉઠાવવામાં આવે છે. 


અમિતાભ બચ્ચને શું કહ્યું?


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ (KIFF)નું ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કહ્યું હતું કે, "આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થાય છે." મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો પણ આ બાબતથી સંમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હજુ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે." સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દુર રહેતા અમિતાભ બચ્ચનના આ નિવેદને દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ પઠાણના વિવાદને લઈ કહ્યું હતું કે દર્શકોએ શું જોવું તે તેમની મરજીની બાબત છે. આપણે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે તમામ પ્રકારનું કન્ટેન્ટ હોય છે. 



મમતા બેનર્જીએ પણ કરી અમિતાભની પ્રશંસા


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું કે અમિતાભે એવી વાત કહી જે કોઈ કહી શકે નહીં અને આવું બોલવા માટે પણ હિંમત જોઈએ. આ પ્રસંગે મમતાએ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરતા  કહ્યું કે તેમણે ભારતીય સિનેમા માટે લાંબા સમય સુધી યોગદાન આપ્યું છે તેથી બંગાળ તેમને ભારત રત્ન આપવાની માગ કરશે.


ભાજપે આપી પ્રતિક્રિયા


અમિતાભ બચ્ચનના આ નિવેદનને લઈ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ રક્તપાત અને હિંસા થઈ હતી. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..