આવતીકાલે અમિત શાહ ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:56:43

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે અમિત શાહ ગીર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 11 વાગ્યા નજીક અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


અમિત શાહની સોમનાથ મહાદેવ પ્રત્યે લાગણી રહી છે ત્યારે અમિત શાહ વહેલી સવારે સોમનાથ મહાદેવને નમન કરશે અને ત્યાર બાદ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. 


અમિત શાહનો અમર ડેરીનો કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યા નજીક અમરેલીના ધારી રોડ પર આવેલી અમર ડેરીની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ સિવય આરસી મકવાણા, બિપીન પટેલ, નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અમર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ લોકોને સંબોધશે. પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘવીનો અમર ડેરીના કામકાજમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. 


વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ ડેરીના કાર્યક્રમ સિવાય સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત કરી રાજકીય બેઠકો પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. અગાઉ પણ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં માસ્કોટ અને એન્થમનું લોકાર્પણ કર્યું હતું. 29 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.        



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.