કોંગ્રેસે રામ મંદિર મુદ્દો કોર્ટમાં ફસાવ્યો, મોદીજીએ મંદિર બનાવ્યું: અમિત શાહ


  • Published By :
  • Published Date : 2023-01-05 19:04:47

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ઘોષણા કરી કે અયોધ્યામાં ભાગવાન રામના મંદિરનું ઉદઘાટન 1 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. ત્રિપુરાના પ્રવાસે ગયેલા અમિત શાહે અગરતલામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પર રામ મંદિર ન બનાવવાનો દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે કોર્ટમાં ફસાવેલો રાખ્યો હતો. મોદીજી સત્તામા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને મોદીજીએ તે જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાવી મંદિરના નિર્માણ કાર્યની શરૂ કરાવ્યું હતું.


"2024ની મજબૂત શરૂઆત"


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024માં ચૂંટણી વર્ષની મજબૂત શરૂઆત થશે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. નવેમ્બરમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ અડધોઅડધ કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.