પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા અમિત શાહ, રિપોર્ટરના સવાલ પર જવાબ આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-18 18:32:50

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર છે, આવતી કાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!    

અમિત શાહે આપી બાંહેધારી!

લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે.. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરવાના છે. વિરોધના વંટોળ વચ્ચે પરોત્તમ રૂપાલા હવે તો પરષોત્તમ રૂપાલા નિશ્ચિંત થઈ શકે છે કેમ કે ગૃહમંત્રી અમિત શાહ પણ જાણે બાંહેધરી આપી રહ્યા હોય એમ કહી દીધું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો. 


રિપોટરના જવાબમાં અમિત શાહે કહ્યું કે... 

ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડે છે. ફોર્મ ભરતા પહેલા રોડ શૉ સાથે શક્તિપ્રદર્શન કરી રહેલા અમિત શાહને પ્રશ્ન પુછાયો કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે એના પર શું કહેશો તો અમિત શાહે જે જવાબ આપ્યો એનાથી ભાજપનો આત્મવિશ્વાસ અને ક્ષત્રિય સમાજનો જે હિસ્સો વિરોધ કરી રહ્યો છે એમાં આક્રોશ બંને વધ્યા હશે. જે  આ ઈન્ટરવ્યુ જીએસટીવીના પત્રકારે કર્યો હતો 


ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી લાગતી

અમિત શાહ કહી રહ્યા છે કે તમારી ચેનલની આંખો સિવાય ક્યાંય વિરોધ નથી, જો કે હકિકત એ છે કે રાજકોટના રતનપરમાં જે સંમેલન મળ્યું એનો આકાશી નજારો દરેકે જોયો છે. ક્ષત્રિય સમાજ ખુબ જ આક્રોશની સાથે આ મામલે મેદાને છે એ હકિકત છે. પણ અમિત શાહે જે રીતે આ મુદ્દાને અથવા આ પ્રશ્નને ઈગ્નોર કર્યો એના પરથી એક વાત નક્કી છે કે ભાજપ આક્રોશ કે આંદોલનને તાબે થઈને ઉમેદવાર બદલવાનાના મૂડમાં નથી અને અમિત શાહના આ જવાબ પછી ક્ષત્રિય સમાજ પ્રતિક્રીયાના રૂપે આગળની રણનીતિ શું ઘડે છે એ જોવાનું રહ્યું, 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.