લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહે આપ્યું નિવેદન, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-01-16 09:25:28

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા ઉપરાંત લોકાર્પણ પણ કર્યા હતા. ત્યારે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં સમગ્ર દેશ ફરીથી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી પહોંચી ગયો છે.


ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપ આવનાર વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન પર્વની ઉજવણી તો કરી પરંતુ સાથે સાથે અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કર્યા હતા. 


આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. શાહે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જાતિવાદના ઝેરને હટાવવાનું કામ કર્યું છે. રાજ્યની જનતાએ ખોટા વાયદા અને લાલચો આપનારા લોકોના ગાલ પર તમાચો મારવાનું કામ કર્યું છે. 


2024માં નરેન્દ્ર મોદી જ પીએમ બનશે - અમિત શાહ 

2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પણ અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પરિણામો ગુજરાત પૂરતા સિમિત નહીં રહે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં સમગ્ર દેશ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામખ્યા સુધી પહોંચી ગયો છે કે 2024માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.