શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા? કલાવતીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-10 22:36:32

લોક સભામાં બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કલાવતીના ઘરે રાહુલ ગાંધી ભોજન કરવા ગયા હતા, ત્યાર બાદ તેમણે સંસદમાં ગરીબીનું દારૂણ વર્ણન કર્યું. ત્યાર બાદ તેમની સરકાર 6 વર્ષ ચાલી પરંતું હું પૂછવા માગું છું કે તેમની સરકારે તે ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય સુવિધા એ તમામ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. પરંતુ ખરેખર ગૃહમંત્રીનો આ દાવો સાચો છે, આ ખુલાસો ખુદ કલાવતીએ જ કર્યો છે. અમિત શાહ દ્વારા લોક સભામાં જેમનો ઉલ્લેખ કરાયો તે કલાવતી આજકાલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણો અમિત શાહના દાવા પર કલાવતીએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે.


કલાવતીએ જણાવી કહીકત


મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.


કોંગ્રેસે કલાવતીનો વીડિયો શેર કર્યો 


કોંગ્રેસે કલાવતીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત મહિલા કલાવતી બાંદુરકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને 3 લાખ રૂપિયા આપ્યા હતા. બેંકમાં 30 લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી.


કોણ છે કલાવતી?


કલાવતી બાંદુરકર યવતમાલના જાલકા ગામની રહેવાસી છે. આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યાના કારણે ચર્ચામાં રહ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2008માં કલાવતીને મળ્યા હતા. કલાવતીના પતિ પરશુરામે દેવું ન ચૂકવી શકવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મીટિંગ પછી, કલાવતી પ્રસિદ્ધિમાં આવી અને દેશભરમાંથી મદદનો વરસાદ થવા લાગ્યો. જ્યારે કલાવતીના પતિએ આત્મહત્યા કરી ત્યારે તેમના પર 7 પુત્રીઓ અને 2 પુત્રોના ઉછેરની જવાબદારી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રાહુલ ગાંધી આવીને તેમને મળશે. કલાવતી કહે છે કે આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી, હવે તેની પાસે સારૂં ઘર, વીજળી અને પાણીનું કનેક્શન છે, જોકે કલાવતી હજુ પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.


શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા?


બીજી તરફ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.