શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા? કલાવતીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-10 22:36:32

લોક સભામાં બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કલાવતીના ઘરે રાહુલ ગાંધી ભોજન કરવા ગયા હતા, ત્યાર બાદ તેમણે સંસદમાં ગરીબીનું દારૂણ વર્ણન કર્યું. ત્યાર બાદ તેમની સરકાર 6 વર્ષ ચાલી પરંતું હું પૂછવા માગું છું કે તેમની સરકારે તે ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય સુવિધા એ તમામ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. પરંતુ ખરેખર ગૃહમંત્રીનો આ દાવો સાચો છે, આ ખુલાસો ખુદ કલાવતીએ જ કર્યો છે. અમિત શાહ દ્વારા લોક સભામાં જેમનો ઉલ્લેખ કરાયો તે કલાવતી આજકાલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણો અમિત શાહના દાવા પર કલાવતીએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે.


કલાવતીએ જણાવી કહીકત


મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.


કોંગ્રેસે કલાવતીનો વીડિયો શેર કર્યો 


કોંગ્રેસે કલાવતીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત મહિલા કલાવતી બાંદુરકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને 3 લાખ રૂપિયા આપ્યા હતા. બેંકમાં 30 લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી.


કોણ છે કલાવતી?


કલાવતી બાંદુરકર યવતમાલના જાલકા ગામની રહેવાસી છે. આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યાના કારણે ચર્ચામાં રહ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2008માં કલાવતીને મળ્યા હતા. કલાવતીના પતિ પરશુરામે દેવું ન ચૂકવી શકવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મીટિંગ પછી, કલાવતી પ્રસિદ્ધિમાં આવી અને દેશભરમાંથી મદદનો વરસાદ થવા લાગ્યો. જ્યારે કલાવતીના પતિએ આત્મહત્યા કરી ત્યારે તેમના પર 7 પુત્રીઓ અને 2 પુત્રોના ઉછેરની જવાબદારી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રાહુલ ગાંધી આવીને તેમને મળશે. કલાવતી કહે છે કે આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી, હવે તેની પાસે સારૂં ઘર, વીજળી અને પાણીનું કનેક્શન છે, જોકે કલાવતી હજુ પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.


શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા?


બીજી તરફ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.