અમિત શાહ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 09:26:01

STORY BY SAMIR PARMAR

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે આજે સાંજે છ કલાકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવશે જેમાં 36 રાજ્યો 25 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે



આજે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર કરવામાં આવશે. નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં 11મી ખેલ મહાકુંભનું વિધિવત રીતે સમાપન કરવામાં આવશે અને ખેલ મહાકુંભના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રી સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે4 પેરા એથલિટનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 


શું હોય છે નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા?

વર્ષ 1924માં સૌથી પહેલા નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતના ખેલાડીઓને માધ્યમ પૂરું પાડવાનો હતો. જેથી ભારતના રમતવીરો પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો મળે અને પોતાને પણ એક ઓળખ મળી શકે. નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.





દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.