મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, આ મામલે CBI કરશે તપાસ, સરકારે વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-01 13:15:23

મણિપુર હિંસા ભડકી રહ્યું છે. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસના પ્રવાસે આવેલા અમિત શાહનો આજે મણિપુરમાં છેલ્લો દિવસ છે. મણિપુરની હિંસાને લઈ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે મણિપુર હિંસા ગેરસમજને કારણે થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે મણિપુર હિંસા અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી કમિશન હિંસા મામલે તપાસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

           

મણિપુરના પ્રવાસે અમિત શાહ!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા થઈ રહી છે. એક મહિનાથી હિંસા ભડકી રહી છે. વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત હિંસા એટલી વધી ગઈ હતી કે મામલાને શાંત કરવા કડક કાર્યવાહી કરાઈ. કર્ફ્યુ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. રાજ્યમાં વહેલી તકે શાંતિ સ્થાપવામાં આવે તેવી દરખ્વાસ્ત કરી હતી.  ત્યારે વધતી હિંસાને જોતા મણિપુરના પ્રવાસે અમિત શાહ ગયા હતા.  આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.

 

પાંચ લાખ સહાય ચૂકવવાની કરાઈ જાહેરાત!

શાહે બુધવારે ઈમ્ફાઈલમાં આવેલી એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં અમિત શાહે કીધું હતું કે મણિપુરમાં ટૂંક સમયમાં શાંતિ પુનસ્થાપિત થશે. તે સિવાય 29મેના રોજ અમિત શાહે મુખ્યમંત્રી એન.બિરેન.સિંહ, મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી. ત્યારે ગુરૂવારે તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં આ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય અમિત શાહે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને મણિપુર સરકાર 5 લાખ અને કેન્દ્ર સરકાર 5 લાખની સહાય આપશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આવતીકાલથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.      

અમિત શાહ બુધવારે મ્યાનમાર બોર્ડર પર આવેલા મોરેહ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષાદળો પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.