મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, આ મામલે CBI કરશે તપાસ, સરકારે વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-01 13:15:23

મણિપુર હિંસા ભડકી રહ્યું છે. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસના પ્રવાસે આવેલા અમિત શાહનો આજે મણિપુરમાં છેલ્લો દિવસ છે. મણિપુરની હિંસાને લઈ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે મણિપુર હિંસા ગેરસમજને કારણે થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે મણિપુર હિંસા અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી કમિશન હિંસા મામલે તપાસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

           

મણિપુરના પ્રવાસે અમિત શાહ!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા થઈ રહી છે. એક મહિનાથી હિંસા ભડકી રહી છે. વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત હિંસા એટલી વધી ગઈ હતી કે મામલાને શાંત કરવા કડક કાર્યવાહી કરાઈ. કર્ફ્યુ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. રાજ્યમાં વહેલી તકે શાંતિ સ્થાપવામાં આવે તેવી દરખ્વાસ્ત કરી હતી.  ત્યારે વધતી હિંસાને જોતા મણિપુરના પ્રવાસે અમિત શાહ ગયા હતા.  આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.

 

પાંચ લાખ સહાય ચૂકવવાની કરાઈ જાહેરાત!

શાહે બુધવારે ઈમ્ફાઈલમાં આવેલી એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં અમિત શાહે કીધું હતું કે મણિપુરમાં ટૂંક સમયમાં શાંતિ પુનસ્થાપિત થશે. તે સિવાય 29મેના રોજ અમિત શાહે મુખ્યમંત્રી એન.બિરેન.સિંહ, મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી. ત્યારે ગુરૂવારે તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં આ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય અમિત શાહે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને મણિપુર સરકાર 5 લાખ અને કેન્દ્ર સરકાર 5 લાખની સહાય આપશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આવતીકાલથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.      

અમિત શાહ બુધવારે મ્યાનમાર બોર્ડર પર આવેલા મોરેહ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષાદળો પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!