મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈ અમિત શાહે કરી બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-15 09:22:41

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ ન હોય, પરંતુ આ વિવાદને બંને રાજ્યાના નેતાઓએ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુુનાવણી 

તાજેતરમાં સીમા વિવાદને લઈ બંને રાજ્યો વચ્ચે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીમા પર વાહનોની અવરજવર પર વિવાદને કારણે અસર પડી રહી છે. વાહનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બેલગાવી પર પોતાની દાવેદારીને લઈ આ વિવાદ છેડાયો છે. 7 ડિસેમ્બરથી આ વિવાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે,રસ્તા પર  આવી લોકો વિરોધ કરી રહ્યા છે. વધતા વિવાદને કારણે અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


નાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સમિતિની રચના કરાશે 

આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ હોય, પરંતુ બંને રાજ્યોના નેતાઓઆ આને રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. ઉપરાંત આ વિવાદને શાંત કરવા સમિતિની રચના કરવામાં આવશે જેમાં બંને રાજ્યો તરફથી 3-3 મંત્રી સામેલ થશે. કુલ 6 મંત્રીઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાશે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહી. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.