મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈ અમિત શાહે કરી બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-15 09:22:41

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ ન હોય, પરંતુ આ વિવાદને બંને રાજ્યાના નેતાઓએ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુુનાવણી 

તાજેતરમાં સીમા વિવાદને લઈ બંને રાજ્યો વચ્ચે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીમા પર વાહનોની અવરજવર પર વિવાદને કારણે અસર પડી રહી છે. વાહનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બેલગાવી પર પોતાની દાવેદારીને લઈ આ વિવાદ છેડાયો છે. 7 ડિસેમ્બરથી આ વિવાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે,રસ્તા પર  આવી લોકો વિરોધ કરી રહ્યા છે. વધતા વિવાદને કારણે અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


નાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સમિતિની રચના કરાશે 

આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ હોય, પરંતુ બંને રાજ્યોના નેતાઓઆ આને રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. ઉપરાંત આ વિવાદને શાંત કરવા સમિતિની રચના કરવામાં આવશે જેમાં બંને રાજ્યો તરફથી 3-3 મંત્રી સામેલ થશે. કુલ 6 મંત્રીઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાશે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.