ગાંધીનગર ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સુરક્ષા મામલે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક


  • Published By :
  • Published Date : 2022-10-27 10:47:47

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો મળી રહ્યા છે. મોટી સંખ્યામાં માદક પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપણા બંધારણે કાયદા અને વ્યવસ્થાને રાજ્યનો મુદ્દો બનાવ્યો છે અને આ યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી એવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સની તસ્કરીનો અપરાધ આપણા દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

  

ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે - શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં પણ જો આપણે અક્રોસ બોર્ડર લડવાનો અપ્રોચ નહીં રાખીએ તો તેના પર નિયંત્રણ લાવી શકશું નહીં. તેથી તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, ભારત સરકારના મહેસૂલ, સામાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ અને સીમા સુરક્ષાના કામ કરતા તમામ સીએપીએફ, કોસ્ટગાર્ડ અને નૌકાદળના વ્યપક સંકલન દ્વારા નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. ઈન્ટરનેશલન ગેંગથી તે નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યો છે, અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ સામેનાી લડાઈ દેશમાં નાજુક અને મહત્વપુર્ણ વળાંક પર છે.

લક્ષ્ય માત્ર 60 દિવસમાં હાંસલ કર્યો - શાહ  

પીએમ મોદીના નેતૃત્વમાં 2019થી એક અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, સંકલન અને સહકારના આધારે માદક પદાર્થો સામેની આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવી જોઇએ. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75 હજાર કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્ય માત્ર 60 દિવસમાં, સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.