ગાંધીનગર ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સુરક્ષા મામલે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક


  • Published By :
  • Published Date : 2022-10-27 10:47:47

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો મળી રહ્યા છે. મોટી સંખ્યામાં માદક પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપણા બંધારણે કાયદા અને વ્યવસ્થાને રાજ્યનો મુદ્દો બનાવ્યો છે અને આ યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી એવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સની તસ્કરીનો અપરાધ આપણા દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

  

ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે - શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં પણ જો આપણે અક્રોસ બોર્ડર લડવાનો અપ્રોચ નહીં રાખીએ તો તેના પર નિયંત્રણ લાવી શકશું નહીં. તેથી તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, ભારત સરકારના મહેસૂલ, સામાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ અને સીમા સુરક્ષાના કામ કરતા તમામ સીએપીએફ, કોસ્ટગાર્ડ અને નૌકાદળના વ્યપક સંકલન દ્વારા નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. ઈન્ટરનેશલન ગેંગથી તે નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યો છે, અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ સામેનાી લડાઈ દેશમાં નાજુક અને મહત્વપુર્ણ વળાંક પર છે.

લક્ષ્ય માત્ર 60 દિવસમાં હાંસલ કર્યો - શાહ  

પીએમ મોદીના નેતૃત્વમાં 2019થી એક અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, સંકલન અને સહકારના આધારે માદક પદાર્થો સામેની આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવી જોઇએ. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75 હજાર કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્ય માત્ર 60 દિવસમાં, સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવ્યું હતું.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે