અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત એકદમ વધી ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિંત છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીના વડાપ્રધાન મોદી, અમિત શાહ અને  જે પી નડ્ડા અવારનવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદીઓને વિકાસલક્ષી ભેટ આપશે.


અમિત શાહ અમદાવાદમાં કરશે અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત


અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમિત શાહ અમદાવાદમાં અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે. તેની સાથે સાથે તેઓ અનેક વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શહેરમાં જંગી સભાને પણ સંબોધન કરશે. અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈ ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવી રીતે મેદાને આવી રહી છે, તેના કારણે ભાજપ પણ રણનીતિ તૈયારી કરીને મતદારોને રિઝવવા આક્રમક રીતે કામે લાગી ગઈ છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.