અમદાવાદના ઝાંઝરકાથી અમિત શાહે ગૌરવ યાત્રાને બતાવી લીલી ઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:11:24

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે પ્રચાર કરવાનો શુભારંભ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ દરેક જગ્યાએ વડાપ્રધાન પ્રચાર નહીં કરી શકે, તે માટે જન જન સુધી પહોંચવા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.અલગ અલગ સ્થળો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. 

શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકોનો વિશ્વાસ અને અમે પૂર્ણ કરેલા વિશ્વાસના ગૌરવની યાત્રા છે. ઘરે ઘરે જઈ ભાજપ દ્વારા કરવામાં કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણ કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 24 કલાક વીજળી નથી મળતી. નર્મદાનું પાણી નથી મળતું. કોંગ્રેસે વીજળી, પાણી અને ઉદ્યોગો નહોતા. પોતાના શાસન કાળ દરમિયાન કોંગ્રેસે ખાલી રમખાણો આપ્યા છે . ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યું રહેતો હતો. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં કર્ફ્યુંનું નામોનિશાન નથી.

  

સૌરાષ્ટ્ર પર ભાજપની નજર

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે. બીજી એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધીની રહેશે અને ત્રીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી નિકળવાની છે. આ ત્રણેય યાત્રાઓ 66 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. અનેક કેન્દ્રીય મંત્રીઓ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર વધારે ફોક્સ ભાજપ રાખી રહ્યું છે.      



Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .