મણિપુરમાં વધતી હિંસાને લઈ અમિત શાહે બોલાવી સર્વ પક્ષીય બેઠક, બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યું..


  • Published By :
  • Published Date : 2023-06-24 12:38:36

મણિપુરમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં હિંસા શાંત થાય તે માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મીને પણ ઉતારી દેવામાં આવી છે. તેમ છતાંય અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં ફાટેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે ઉપરાંત અનેક સુરક્ષાબળોના જવાનો પણ શહીદ થયા છે. સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર ગયા હતા. પરંતુ તે બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે આજે અમિત શાહે આજે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચર્ચા કરવા સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.   

મણિપુર મુદ્દે પીએમ મોદીએ નથી કરી વાત!

3 મેથી મણિપુરમાં હિંસા ફાટી નિકળી છે. હિંસા શરૂ થયે અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ હજી શાંત નથી થઈ. ત્યાંનો માહોલ શાંત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માહોલ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ પણ વીડિયો સંદેશો આપી મણિપુરના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. પીએમ મોદીને અનેક વખત પત્ર લખીને મણિપુરમાં થતી હિંસાને લઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા એક વખત પણ આ મુદ્દે વાત કરવામાં આવી નથી. મેરી કોમે પણ મણિપુરની હિંસાને એક વીડિયો સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું મેરા મણિપુર જલ રહા હેં.  


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સર્વ પક્ષિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈ ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આનાથી ખબર પડે કે પીએમ મોદી માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.