સિદ્ધપુરમાં અમિત શાહે કર્યા કોંગ્રેસ પર પ્રહાર! મોદી સરકારના 9 વર્ષ દરમિયાન લેવાયા નિર્ણયો અંગે અમિત શાહે કરી વાત! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-11 10:54:24

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાટણ ખાતે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે તેમણે જનસભામાં સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા.  તે ઉપરાંત કોંગ્રેસને પણ પોતાના સંબોધનમાં આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર અમિત શાહે પ્રહાર કર્યા હતા. તે સિવાય લોકસભાની ચૂંટણીને લઈ પણ વાત કરી હતી.

 


રાણકી વાવને લઈ અમિત શાહે કહી આ વાત!

ગુજરાતના પ્રવાસે હાલ અમિત શાહ આવ્યા છે. સિદ્ધપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100ની નોટ પર જ છાપીને પાટણની વાવને દુનિયા અને દેશમાં પહોંચાડવાનું કામ મોદી સરકાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષના મોદીજીના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ રાખ્યો છે. હું આજે સૌથી પહેલા છે ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું.

  

  

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કર્યો કટાક્ષ!     

પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને પણ અમિત શાહે ટાણો માર્યો હતો.અમિત શાહે કહ્યું 'આ રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. રાહુલ બાબા તમારા પૂર્વજો પાસેથી શિખજો કે દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે. વિદેશમાં જઈ દેશના રાજકારણની ચર્ચા કરી નિંદા કરવાનું કામ કોઈપણ નેતાને શોભતું નથી'.    

 

  

લોકસભા ચૂંટણીને લઈ શાહે આપ્યું નિવેદન!

અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો પર ભાજપને જીતાડી છે. આ 9 વર્ષની સિદ્ધિઓ, 9 વર્ષમાં દેશમાં આવેલા પરિવર્તન તે એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર ભાઈની સિદ્ધિઓ નથી, 9 વર્ષની અંદર દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે ગુજરાત અને દેશના 100 કરોડ લોકોની સિદ્ધિઓ છે.  







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.