અમિત શાહનો ચીનને પડકાર, 'સોયની અણી જેટલી જમીન હડપવાની પણ કોઈની તાકાત નથી'


  • Published By :
  • Published Date : 2023-04-10 19:35:57

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે અરૂણાચલ પ્રદેશ મુદ્દે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે આપણો દેશ શાંતિથી ઊંઘી શકે છે કારણ કે સરહદે ITBPના જવાન અને આપણી સેનાના સૈનિકો રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે આપણી જમીન પર કુદ્રષ્ટી કરી શકે. અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિધુમાં એક જનસભાને સંબોધતા આ વાત કરી હતી.


અરૂણાચલ પ્રદેશ પ્રાચીન કાળથી ભારતનો ભાગ


ચીને અરૂણાચલ પ્રદેશના 11 શહેરોના નામ બદલ્યા તે અંગે અમિત શાહે કહ્યું કે "અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ આપણા સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં જે ભૂમિ પર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે તેને ભગવાન પરશુરામ દ્વારા અરુણાચલ પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પૃથ્વી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. તે ભારત માતાના મુગટમાં એક ભવ્ય રત્ન છે." અત્રે ઉલ્લેખનિય છે કે અમિત શાહ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) લોન્ચ કરવા માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.


સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે


સરહદી ગામ કિબિથૂમાં એક સભાને સંબોધતા શાહે કહ્યું: "ભારતની શરૂઆત કિબિથૂથી થાય છે. તે ભારતનું છેલ્લું ગામ નથી પરંતુ તેનું પહેલું ગામ છે." બેઇજિંગને નિશાન બનાવી અમિત શાહે કહ્યું કે "આર્મી અને ITBPના આપણા સૈનિકોની બહાદુરીને કારણે આપણી સરહદ પર કોઈ ખરાબ નજર કરી શકે નહીં તેમ નથી. હવે તે સમય ગયો જ્યારે કોઈ પણ દેશ ભારતની ભૂમિ પર આક્રમણ કરતો હતો. આજે કોઈ દેશ આપણી સોયની અણી જેટલી જમીન પર પણ કબજો કરી શકતો નથી."


શાહની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો 


અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિથૂની મુલાકાતને લઈ વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે બેઇજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, અને તે સરહદની શાંત પરિસ્થિતિ  અને સુલેહ-શાંતિ માટે અનુકૂળ નથી" 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.