અમિત શાહનો ચીનને પડકાર, 'સોયની અણી જેટલી જમીન હડપવાની પણ કોઈની તાકાત નથી'


  • Published By :
  • Published Date : 2023-04-10 19:35:57

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે અરૂણાચલ પ્રદેશ મુદ્દે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે આપણો દેશ શાંતિથી ઊંઘી શકે છે કારણ કે સરહદે ITBPના જવાન અને આપણી સેનાના સૈનિકો રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે આપણી જમીન પર કુદ્રષ્ટી કરી શકે. અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિધુમાં એક જનસભાને સંબોધતા આ વાત કરી હતી.


અરૂણાચલ પ્રદેશ પ્રાચીન કાળથી ભારતનો ભાગ


ચીને અરૂણાચલ પ્રદેશના 11 શહેરોના નામ બદલ્યા તે અંગે અમિત શાહે કહ્યું કે "અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ આપણા સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં જે ભૂમિ પર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે તેને ભગવાન પરશુરામ દ્વારા અરુણાચલ પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પૃથ્વી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. તે ભારત માતાના મુગટમાં એક ભવ્ય રત્ન છે." અત્રે ઉલ્લેખનિય છે કે અમિત શાહ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) લોન્ચ કરવા માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.


સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે


સરહદી ગામ કિબિથૂમાં એક સભાને સંબોધતા શાહે કહ્યું: "ભારતની શરૂઆત કિબિથૂથી થાય છે. તે ભારતનું છેલ્લું ગામ નથી પરંતુ તેનું પહેલું ગામ છે." બેઇજિંગને નિશાન બનાવી અમિત શાહે કહ્યું કે "આર્મી અને ITBPના આપણા સૈનિકોની બહાદુરીને કારણે આપણી સરહદ પર કોઈ ખરાબ નજર કરી શકે નહીં તેમ નથી. હવે તે સમય ગયો જ્યારે કોઈ પણ દેશ ભારતની ભૂમિ પર આક્રમણ કરતો હતો. આજે કોઈ દેશ આપણી સોયની અણી જેટલી જમીન પર પણ કબજો કરી શકતો નથી."


શાહની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો 


અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિથૂની મુલાકાતને લઈ વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે બેઇજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, અને તે સરહદની શાંત પરિસ્થિતિ  અને સુલેહ-શાંતિ માટે અનુકૂળ નથી" 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.