Loksabhaમાં આક્રામક દેખાયા Amit Shah, સંસદમાં કહ્યું साल 2015 में दिल्ली में एक ऐसी पार्टी सत्ता में आई जिसका मकसद सिर्फ लड़ना था


  • Published By :
  • Published Date : 2023-08-03 17:06:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થતી હોય છે. ત્યારે આજે લોકસભામાં દિલ્હી સર્વિક બિલ પસાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, અમને કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર છે. જવાહરલાલ નહેરૂ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો. શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે.

વિપક્ષના ગઠબંધન પર અમિત શાહે કર્યો કટાક્ષ

વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે મંત્રી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે. મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે. પરંતુ સમર્થન કરીશું. કારણ કે અમારે ગઠબંધન કરવાનું છે. આવી રીતે વિચારવું ન જોઈએ. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ. ગઠબંધન વિશે વિચારશો નહીં. અરવિંદ કેજરીવાલ પર બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2015થી દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તા પર આવી છે જેનો ઉદ્દેશ માત્ર લડવાનો છે, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસ્ફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવા માટે નથી, પરંતુ બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે સતર્કતા વિભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.   

2024માં મોદી જ આવશે - અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. આટલું જ નહીં, હું કોંગ્રેસને કહેવા માગું છું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.